Nobat
VerifiedNewspaper
For the Malaysian musical ensemble, see Regalia of Malaysia § Nobat.
Nobat is a Gujarati language daily newspaper published in Jamnagar, Gujarat, India. Source
Actions
Media Outlet details
| Scope | Local |
|---|---|
| Language | Gujarati |
| Country | India |
|
Similarweb UVM |
Request pricing |
|
Comscore UVM |
Request pricing |
| Frequency | Daily |
| Days Published | N/A |
Recent Articles
Search Articlesપરસ્પર સમૂજતિથી વિવાદો ઉકેલવાના સુપ્રિમ કોર્ટનો પ્રસ્તાવ માનવા હિન્દુ-મુસ્લિમ બન્ને પક્ષોનો ઈન્કાર
You are here: મુખ્ય સમાચાર વિગતવાર સમાચાર પરસ્પર સમૂજતિથી વિવાદો ઉકેલવાના સુપ્રિમ કોર્ટનો પ્રસ્તાવ માનવા હિન્દુ-મુસ્લિમ બન્ને પક્ષોનો ઈન્કાર શ્રી કૃષ્ણ જન્મભૂમિ, જ્ઞાનવ્યાપી, સંભલ મસ્જિદના કેસોમાં નવી દિલ્હી તા. ૧૩: જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદના કેસોમાં વિવાદો પરસ્પર સહમતિથી ઉકેલવાના કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બન્ને પક્ષોએ માનવ ા ઈન્કાર કરી દીધો છે. વારાણસીના જ્ઞાનવાપી, મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને સંભલ જામા મસ્જિદ વિવાદમાં નવો વળાંક આવ્યો છે.
ભાજપ મહિલા મોરચાના કોષાધ્યક્ષ તરીકે વરણી: પાલિકા પ્રમુખ તરીકે સેવા આપનાર અને રઘુવંશી અગ્રણી
ખંભાળિયાના રચનાબેન મોટાણીની પ્રદેશ ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત ખંભાળિયામાંથી કોઈ મહિલાને મહિલા મોરચામાં રાજ્યકક્ષાનો હોદ્દો મળ્યો છે. ભાજપ રાજ્ય મહિલા મોરચા દ્વારા ખંભાળિયાના રઘુવંશી મહિલા યુવા અગ્રણી તથા તાજેતરમાં દ્વારકા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક પામેલ શ્રીમતી રચનાબેન મોહિતભાઈ મોટાણીની રાજ્ય મહિલા મોરચાના ખજાનચી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સોના-ચાંદી-શેરબજારમાં કડાકોઃ ક્રૂડમાં ભડકો
You are here: મુખ્ય સમાચાર વિગતવાર સમાચાર સોના-ચાંદી-શેરબજારમાં કડાકોઃ ક્રૂડમાં ભડકો ૫ુનઃ યુદ્ધના કારણે હોર્મુઝ બંધ થતા મુંબઈ તા. ૧૩: યુદ્ધના કારણે હોર્મુઝ બંધ થતા સોના-ચાંદી ઉપરાંત શેરબજારમાં પણ કડાકો બોલ્યો છે. સવારે જ ૭૦૦ તો નિફટી ૨૦૦ પોઈન્ટ ડાઉન હતો. તો ક્રૂડમાં ભડકો થયો છે. આજે વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા બાદ, ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ ૭૦૦થી વધુ પોઈન્ટ ગગડી ૭૬,૮૫૭ પર, જ્યારે નિફ્ટી ૨૦૦ પોઈન્ટ ઘટી ૨૪,૦૦૦ના સ્તરે પહોંચ્યો.
મંદિર, બે દુકાનની ચોરીના કેસમાં બે શખ્સની ધરપકડ
જામનગર તા. ૧૩: જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં એક મંદિર તેમજ બે દુકાનમાં ૧૧ મહિના પહેલાં થયેલી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા મધ્યપ્રદેશના બે શખ્સને રાજકોટ રેન્જની ટીમે પકડી લીધા છે. જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં આવેલા એક મંદિરમાં ગયા ઓગસ્ટ મહિના દાનપેટીનું તાળુ તોડી તેમાંથી રૂ।.૬ હજાર રોકડા ચોરાઈ ગયા હતા. તે ઉપરાંત મંદિર નજીક આવેલી સુખદેવભાઈ બોરીચાની દુકાનનું શટર તોડાવ્યું હતું અને મેઈન રોડ પર દિનેશભાઈ ભીખાભાઈની દુકાનનું શટર તોડી તસ્કરોએ રૂ।.ર૦૦ની ચોરી કરી હતી.
ભૂસ્ખલનના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનોના રૂટો બદલાવવામાં આવ્યા
મુસાફરોની સુવિધાને ધ્યાને લઈ તંત્ર દ્વારા નિર્ણયઃ રાજકોટ તા. ૧૩: દક્ષિણ પૂર્વ રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઠાકુરવાડી-મંકી હિલ રેલવે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલનના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સંબંધિત નીચે મુજબની ટ્રેનોના રૂટ બદલવામાં (ડાયવર્ટ) આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડનારી ટ્રેનોની વિગતોમાં ટ્રેન નં.
બેંગકોકની ૫બમાં ભીષણ આગઃ ૨૭ ભડથુઃ ૬૩ ઘાયલઃ ૨૨ ગંભીર
ગીત-સંગીત-ડાન્સના મસ્ત માહોલ વચ્ચે ગમખ્વાર ઘટના સર્જાતા અરેરાટીઃ મૃતાંક વધી શકે બેંગકોક તા. ૧૩: થાઈલેન્ડના બેંગકોકની પબમાં આગ લાગતા ૨૭ જીવતા સળગી મર્યા હોવાના અહેવાલોથી અરેરાટી પ્રસરી છે. ડાન્સ-ગીત વચ્ચે મોતનું તાંડવ થયુ અને ખૂશી માતામમાં ફેરવાઈ ગઈ હતી. તે ઉપરાંત ૬૩ લોકો ઘાયલ થયા છે, અને ઘણાં ગંભીર સ્થિતિમાં છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં નાચગાન વચ્ચે એક પબમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે ક્ષણિકમાં શોક ફેરવાઈ ગયો હતો.
રામમંદિર ચઢાવા ચોરી કેસમાં સુપ્રિમે માંગ્યો એસઆઈટીનો સ્ટેટસ રિપોર્ટઃ ૨૦ જુલાઈના સુનાવણી
કેન્દ્ર સરકાર, યુ.પી. સરકાર અને ટ્રસ્ટને નોટીસો ફટકારાઈઃ સંબંધિત સીસીટીવી સુરક્ષિત રાખવા ફરમાનઃ ત્રણ અરજીઓ પર સુનાવણી નવી દિલ્હી તા. ૧૩: અયોધ્યાના રામમંદિરમાં ચઢાવાચોરી મામલે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર, યુ.પી. સરકાર અને ટ્રસ્ટને નોટીસો ફટકારી એસઆઈટીનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યા છે, અને આગામી સુનાવણી ૨૦ જુલાઈના રાખી છે. સુપ્રિમ કોર્ટમાં આજે અયોધ્યા રામ મંદિરના દાન ચોરીના કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરતી અરજીઓ પર પ્રાથમિક સુનાવણી થઈ હતી.
સિટી બસમાં મહાનુભાવોની મુસાફરી મહત્ત્વપૂર્ણ... રિયાલિટી ચેક સાથે 'સિસ્ટમ' સુધારણા...
જામનગરમાં સ્થાનિક પરિવહન માટે સિટીબસોની સેવા ધીમે ધીમે વિસ્તરી રહી છે. કેટલાક ઓછા જાણીતા થયેલા મહાનુભાવો, જાગૃત નાગરિકો અને પ્રોફેશ્નલો જુદા જુદા રૂટ પર સ્વયં મુસાફરી કરીને કદાચ 'રિયાલિટી ચેક' કરતા હોવાનું તથા કેટલાક પ્રતિષ્ઠિતો ઈંધણ બચાવવાના રાષ્ટ્રીય આહ્વાન તથા પર્યાવરણ જાગૃતિ માટે ઈલેક્ટ્રીક એરકન્ડિશન્ડ સિટીબસમાં રોજીંદો પ્રવાસ કરીને દૃષ્ટાંત બેસાડવાનો પ્રયાસ કરતા હશે,તેમ મનાય છે.
ગેરકાયદેસર ખનીજ વહન કરતા છ વાહનો ઝડપાયા, રૂ।.૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
You are here: મુખ્ય સમાચાર વિગતવાર સમાચાર ગેરકાયદેસર ખનીજ વહન કરતા છ વાહનો ઝડપાયા, રૂ।.૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત જામનગર-ધ્રોલ રોડ પર ભૂસ્તર વિભાગની કાર્યવાહીઃ જામનગર તા. ૧૩: જામનગરની ભૂસ્તર વિજ્ઞાનની કચેરીના સ્ટાફ દ્વારા ગઈકાલે જામનગર-ધ્રોલ રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ પ્રકારના ખનીજના ગેરકાયદેસર વહન તેમજ રોયલ્ટી પાસ કરતાં વધુ પ્રમાણમાં ખનીજના પરિવહન બદલ કુલ છ વાહનોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેના પગલે ખનીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીની 'ફોર્ચ્યુન ઈન્ડિયા મોસ્ટ પાવરફુલ વિમેન ૨૦૨૬' તરીકે પસંદગી
You are here: મુખ્ય સમાચાર વિગતવાર સમાચાર રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીની 'ફોર્ચ્યુન ઈન્ડિયા મોસ્ટ પાવરફુલ વિમેન ૨૦૨૬' તરીકે પસંદગી મોસ્ટ પાવરફુલ વિમેનની યાદીમાં પ્રથમ ક્રમેઃ ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા શુક્રવારે ફોર સીઝન્સ હોટેલ, મુંબઈમાં તેના મુખ્ય આયોજન 'મોસ્ટ પાવરફુલ વિમેન (એમપીડબ્લ્યૂ) ૨૦૨૬ની યજમાની કરવામાં આવી હતી, જેમાં બિઝનેસ, ફાઇનાન્સ, ટેકનોલોજી, હેલ્થકેર, પબ્લિક પોલિસી અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રના ભારતના અગ્રણી મહિલા નેતાઓ એકત્ર થયા હતા.